fbpx
અમરેલી

એનસીયુઆઈનાં ચેરમેન દિલીપ સંઘાણીનાં અઘ્‍યક્ષસ્‍થાને ગવર્નીંગ કાઉન્‍સિલની બેઠક યોજાઈ

એનસીયુઆઈનાં ચેરમેન દિલીપ સંઘાણીનાં અઘ્‍યક્ષસ્‍થાને ગવર્નીંગ કાઉન્‍સિલની બેઠક યોજાઈ

દેશની સર્વોચ્‍ચ સહકારી સંસ્‍થા એનસીયુઆઈની પ્રથમ ગર્વનીંગ કાઉન્‍સિલની મીટીંગ દિલ્‍હી મુકામે ચેરમેન દિલીપ સંઘાણીના અઘ્‍યક્ષસ્‍થાને યોજાયેલ જેમા વિવિધ કમીટીઓની રચના કરવામા આવેલ હતી. ચેરમેન તરીકેના પદભાર સાથેની સંઘાણીની આ પ્રથમ મીટીંગ હોઈ, સૌ પ્રતિ આભારની લાગણી વ્‍યકત કરવામા આવેલ સાથોસાથ કોરોના મહામારીમા સરકારના નિતી-નિયમોનુ ચુસ્‍તપણે પાલન કરવા, અંતર જાળવવા અપીલ કરવામા આવી હતી. આજે યોજાયેલ કાઉન્‍સિલ મીટીંગમા કમીટીની રચનાઓ કરવામા આવેલ જેમા કોર્પોરેશન એજયુકેશન કમીટીના ચેરમેન તરીકે દિપકભાઈ માલાણીની નિમણૂંક કરવામા આવેલ જયારે મહિલા સંગઠન-સશકિતકરણ કમીટીના ચેરમેન તરીકે કુ.ભાવનાબેન ગોંડલીયાની નિમણૂંક કરવામા આવેલ આ સ્‍થાન પર ગોંડલીયા ત્રીજી ટર્મ નિમણૂંક પાત્ર થયા છે.

આ તકે અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, જીલ્‍લા બેંકના જનરલ મેનેજર-સી.ઈ.ઓ. બી.એસ.કોઠીયા, આસી.જનરલ મેનેજર અશોકભાઈ ગોંડલીયા, રાજેશભાઈમાંગરોળીયા સહિત સૌએ સમિતિઓની રચના અને નિર્ણયોને આવકારી અભિનંદન પાઠવ્‍યાનું અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts