વડીયા : એમ્બ્યુલન્સ 108 દ્વારા પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/02/01-29.jpg)
વડીયા : એમ્બ્યુલન્સ 108 દ્વારા પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું તા.0ર/0ર/ર1ના રોજ જેતપુર તાલુકાના અમરનગર ગામથી જેતપુર રોડ ઉપર આવેલ શિતળા માતાજીના મંદિર નજીક ફોરવીલ પલટી ગઈ હતી. આ બનાવની જાણ થતા વડિયા 108 ની ટીમના કર્મચારીઓ ભોત સુનિલભાઈ લીંબાણી અને .ય્:િત્ દેવતભાઇ પરમાર ઝડપથી સ્થળ પર પહોંચ્યા. કારમાં ત્રણ વ્યક્તિત સવાર હતા.
આ અકસ્માતમાં કારની અંદર 3 વ્યકિત ફસાઈ ગયા હતા, જેને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં પ્રિયેનભાઈ અલ્પેશભાઈ નસીબ ઉમર વર્ષ રપ જેઓ ઇજાગ્રસ્ત થયેલા અને બીજા બે પૈકી ખુશાલભાઈ સંજયભાઈ ડોબરીયા અંદાજે ઉંમર વર્ષ ર6 તથા કેવલભાઈ હિંમતભાઈ રાદડિયા અંદાજે ઉંમર વર્ષ ર7 નું જેઓનું ઘટનાસ્થળ પર મૃત્યુ થયેલ હતું.
ઘાયલ પ્રિયેનભાઈને સ્થળ પર પ્રાથમિક સારવાર આપી.પ્રિયેનભાઈ અર્ધબેભાન અવસ્થા, ફેકચર અને માથાના ભાગમાં ઈજા હોય તેને એમ્બ્યુલન્સમાં લઈને તાત્કાલીક વધુસારવાર અર્થે સરકારી હોસ્પિટલ જેતપુર ખસેડયા હતા. આ દરમિયાન દર્દી પાસેથી મળી આવેલ 3 મોબાઇલ, રોકડ રકમ, અગત્યના ડોકયુમેન્ટ, એટીએમ કાર્ડ, આધારકાર્ડ, પર્સ, આમ અંદાજે અંકે રૂપીયા 4પ,000/-નો મળી આવેલ. જે તેમના સંબંધી સંદીપભાઈ નરસિંહભાઈ મોવલિયા રહે, બાટવા દેવડી તાલુકો વડિયા કુકાવાવને 108 વડીયાના સ્ટાફ ભોત સુનિલભાઈ લીંબાણી અને .ય્:િત્ દેવદત્તભાઈ પરમારે સહી સલામત પરત કરેલ તેમજ વડીયા 108ના સ્ટાફે સારવારની સાથે સાથે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા દર્દીના સંબંધીએ આભાર વ્યક્તત કર્યો હતો.
Recent Comments