ગાંવ ચલો અભિયાન દ્વારા ગામડાના લોકોનેમૂર્ખબનાવતા ભાજપના નેતાઓ- અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભંડેરી
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/02/IMG_20220326_212340-1-1029x620.jpg)
ગુજરાતમાંછેલ્લા ૩૦ વર્ષથી ભાજપનુંશાસન છે અનેકેન્દ્રમાંછેલ્લા ૧૦ વર્ષથી ભાજપનુંશાસન છે, અનેઆ ભાજપના રાજમાં આજે સમગ્ર ગુજરાતના ગામડાઓ ભાંગીનેખાલીખમ થઈ ગયા છે, ભાજપના રાજમાંગામડાઓમા સારા રસ્તાઓ પણ નથી, ગુજરાતના હજુ પણ ઘણા એવા ગામો છે ત્યાંવીજળીની પૂરતી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, આજે ગામડાના લોકોનેપીવા માટેનું ટે સારું અનેમીઠા પાણીની પણ વ્યવસ્થા ૩૦ વર્ષેભાજપ સરકાર કરી શકી નથી, ગામડાના ખેડૂતોનેટકાવવા માટે અનેઆર્થિક રીતેસધ્ધર બનાવવા માટે ખેતીવાડી માટે પિયત માટેનું ટે પાણી પણ આ ભાજપની સરકાર ઉપલબ્ધ કરાવી શકી નથી, ગામડાઓમાં સારું અનેઉચ્ચ શિક્ષણ માટેની ટે કોઈપણ વ્યવસ્થા ભાજપના રાજમાંઉપલબ્ધ નથી, શિક્ષિત યુવાનોનેરોજગારી માટેની ટે કોઈ વ્યવસ્થા ગામડે નથી, પરિણામેસારું અનેઉચ્ચ શિક્ષણ તથા રોજગારી માટે યુવાનો ગામડું છોડીનેશહેર તરફ પ્રયાણ કર્યુંછે, આજે ગામડાઓમાંઆરોગ્યની કોઈપણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ નથી, પરિણામેલોકોનેઈલાજ કરાવવા માટે શહેરમાંજવું પડે છે, આમ ૩૦-૩૦ વર્ષના ભાજપના શાસનકાળમાંગામડાઓ ભાંગીનેખાલીખમ થઈ ગયા છે, ત્યારે ભાજપના નેતાઓ દ્વારા ગાંવ ચલો અભિયાન દ્વારા ગામડાના લોકોનેમાત્રનેમાત્ર મૂર્ખબનાવવાનું કામ કરી રહ્યા છે.
Recent Comments