fbpx
બોલિવૂડ

શેખર સુમન આ વર્ષે પોતાનો જન્મ દિવસ નહીં મનાવે, કહ્યું- સુશાંત સિંહ રાજપૂત માટે આટલું તો કરી શકુ છું

અભિનેતા શેખર સુમને શનિવારે ખુલાસો કર્યો હતો કે તે આ વર્ષે ૭ ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ નહીં મનાવે. તેણે કહ્યું કે, તે સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને કોઈ સેલિબ્રેશન નહીં કરે. શેખર સુમને આ વાતની જાણકારી ટિ્‌વટ કરીને આપી હતી. સુશાંત સિંહ રાજપૂતના મોત પછી શેખર સુમન સતત ન્યાયની માગ કરી રહ્યા છે.
શેખર સુમને ટિ્‌વટ કરી લખ્યું હતું કે, ૭ ડિસેમ્બરે પોતાનો જન્મ દિવસ નહીં મનાવું. સુશાંત સિંહ રાજપૂત માટે આટલુ તો કરી શકુ છું. કોઈપણ પ્રકારના ઉત્સાહનો મૂડ નથી. તેના બદલે હું પ્રાર્થના કરીશ કે સુશાંતના દોષિઓ પકડાઈ જાય અને જલદીથી કેસ બંધ થાય.
શેખર સુમને ટિ્‌વટ કર્યુ હતું કે ઘણા લોકો મને મળે છે અને પુછે છે કે સુશાંતના મામલામાં શું થશે ? કદાચ અમારી પાસે પણ આનો જવાબ હોત. એક દિવસ કોઈ ચમત્કારની આશા છે. અને તેના માટે પ્રાર્થના સિવાય અમે શું કરી શકીએ. સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂને મુંબઈમાં પોતાના ઘરેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પહેલા આ મામલાની તપાસ મુંબઈ પોલીસ કરી રહી હતી. હવે આ મામલાની તપાસ સીબીઆઈ, ઈડી અને એનસીબી જેવી કંપનીઓ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/