fbpx
ગુજરાત

સુરતમાં બેંક કર્મચારીઓ દ્વારા સરકાર વિરોધ સુત્રોચ્ચાર કર્યા

સરકારે બજેટમાં બેંકો અને વીમા કંપનીઓને ખાનગી કરવાનું નક્કી કર્યું છે. સરકારે બેંકોનું ખાનગીકરણ કરવા માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે. સરકારે શિયાળું સત્રમાં બેકિંગ રેગ્યુલેશન એક્ટ અને બેકિંગ કંપનીઝમાં સુધારો કરવા જઈ રહી છે. સરકાર હાલ સુધીમાં મોટાભાગના ઉદ્યોગગૃહો જેમણે બેંકના ધિરાણ ચૂકતે કર્યા નથી તેમને ૭૦થી ૯૫ ટકા સુધીની રકમના ધિરાણની ચૂકવણીમાં રાહત આપી રહી છે. હવે સરકારની યોજના મુજબ ઉદ્યોગગૃહોને બેંકો સોંપવાની યોજના ચાલી રહી છે. જે ઉદ્યોગગૃહોએ બેંકોના ધિરાણ પુરા ભર્યા નથી તેવા ઉદ્યોગગૃહોને બેંકોનો કારોબાર સોંપવાની વાત છે. ૧૬ ડિસેમ્બરે ગુરુવાર, ૧૭ ડિસેમ્બરે શુક્રવાર એમ બે દિવસ બેંકોની હડતાળ છે. ૧૮ ડિસેમ્બરે શનિવારે બેન્કિંગ કામકાજ ચાલુ રહેશે, ૧૯ ડિસેમ્બરને રવિવાર હોય બેંક બંધ રહેશે. હડતાળ અંગે યુનિયનના હોદ્દેદારોએ જણાવ્યું કે, હાલ બેન્કોમાં લગભગ વર્ષે ૧ લાખ નવી ભરતી કરે છે તે બંધ થઈ જશે, અનામત પ્રથા નાબૂદ થશે, બેકારી અને બેરોજગારીમાં વધારો થશે. બેંક કર્મચારીઓ સરકારની આ પગલાનો વિરોધ કરી રહ્યાં છે. સરકારના આ પગલાંના વિરોધમાં ૨ દિવસ હડતાળ પાડવામાં આવી રહી છેકેન્દ્ર સરકાર દ્વારા ધીરે ધીરે તમામ બેંકનું ખાનગીકરણ કરવા તરફ આગળ વધવાની માનસિકતા દેખાઈ રહી છે. ઘણા સમય પહેલા પણ નેશનલાઈઝ્‌ડ બેંકોને મર્જ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. ત્યારે જ બેંકના કર્મચારીઓને શંકા હતી કે, આગામી દિવસોમાં સરકાર બેંકો અને વીમા કંપનીઓને ફરી એક વખત ખાનગીકરણ કરી દેશે, અને કેટલાક ઉદ્યોગપતિઓને તેનો લાભ કરાવશે. સામાન્ય પ્રજા ઉપર તમામ સર્વિસ ટેકસમાં વધારો થશે. અનેક લોકોની રોજગારી છીનવાઈ જશે. આ પ્રકારના અનેક મુદ્દાઓને લઈને બેંક કર્મચારીઓ સરકારના ર્નિણયનો વિરોધ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/