અમદાવાદ-ગોરખપુર માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે
ભારતીય રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયાંતરે ઘણા ર્નિણયો લે છે. તહેવારો કે રજાઓના પ્રસંગે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં રેલવે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને રેલવેએ કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનો ચલાવવાનો ર્નિણય કર્યો છે. મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા તેમની સુવિધા માટે ઘણી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. હવે મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો ર્નિણય કર્યો છે. ટ્રેન નંબર ૦૯૪૦૩/૦૯૪૦૪ અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનો છે
જેમાં ટ્રેન નંબર ૦૯૪૦૩ અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી બુધવાર, ૧૭ એપ્રિલ, ૨૦૨૪ના રોજ સવારે ૦૯ઃ૦૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧૪ઃ૦૦ વાગ્યે ગોરખપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯૪૦૪ ગોરખપુર-અમદાવાદ વિશેષ ટ્રેન ગુરુવાર, ૧૮ એપ્રિલ ૨૦૨૪ ના રોજ ગોરખપુરથી ૧૭ઃ૦૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૨૦ઃ૪૦ કલાકે અમદાવાદ પહોંચશે. આ સ્ટેશનો પર ટ્રેનો ઉભી રહેશે ઃ રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈમાધોપુર, ગંગાપુર સિટી, બયાના, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ સ્લીપર ક્લાસના હશે. ૧૬ એપ્રિલથી બુકિંગ શરૂ થાય છે ઃ ટ્રેન નંબર ૦૯૪૦૩નું બુકિંગ ૧૬ એપ્રિલ, ૨૦૨૪થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને ૈંઇઝ્ર્ઝ્ર વેબસાઇટ પર શરૂ થાય છે. ટ્રેનની સ્થિતિ જાણવા માટે તમે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ ીહૂેૈિઅ.ૈહઙ્ઘૈટ્ઠહટ્ઠિૈઙ્મ.ર્ખ્તદૃ.ૈહ તપાસી શકો છો.
Recent Comments