fbpx
રાષ્ટ્રીય

ચૌરી ચૌરા કાંડના શતાબ્દી સમારોહની વડાપ્રધાને ગોરખપુરમાં શરૂઆત કરી ભારતીય લોકતંત્રનો પ્રાણ છે ‘આર્ત્મનિભર’ અન્નદાતાઃ વડાપ્રધાન મોદી

સો વર્ષ પહેલા ચૌરી-ચૌરામાં માત્ર પોલીસ સ્ટેશનમાં જ આગ નહોતી લાગી, આ આગ લોકોના દિલમાં પણ લાગી હતીઃ વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (૪ ફેબ્રુઆરી) ગોરખપુરમાં ચૌરી ચૌરા કાંડના શતાબ્દી સમારોહની વિડિયો કોન્ફરન્સ દ્વારા શરૂઆત કરી છે. ઐતિહાસિક ઘટનાને યાદ કરવા માટે ઉત્તરપ્રદેશ સરકાર આ વર્ષે શતાબ્દી સમારોહની ઉજવણી કરી રહી છે.આ અવસરે એક પોસ્ટ ટિકિટ પણ જાહેર કરી છે. મોદીએ કહ્યું કે, આ પવિત્ર ભૂમિ પર બલિદાન આપનાર દેશના સ્વતંત્રતા સંગ્રામને નવી દિશા આપનાર શહીદોને પ્રણામ કરું છું. સો વર્ષ પહેા ચૌરી-ચૌરીમાં જે બન્યું તે માત્ર આગ ચાંપી દેવાની ઘટના ન હતી. તે આંદોલન ઘણું વ્યાપક હતું, પહેલા જ્યારે પણ તેની વાત થઈ ત્યારે આ ઘટનાને તેને અગ્નિદાહ તરીકે જાેવામાં આવી. આવું કેમ બન્યું તે પણ જાેવું જરૂરી છે. તે આગ પોલીસ સ્ટેશનમાં નહોતી લાગી, લોકોના દિલમાં પણ લાગી હતી. અંગ્રેજી હુકુમત તો સેંકડો સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવા માટે અડી ગઈ હતી, પણ બાબા રાઘવદાસ અને મહામના માલવીય જીના પ્રયાસોથી સેંકડો લોકોને ફાંસીથી બચાવી લેવાયા હતા.એવામાં આ દિવસ બાબા રાઘવદાસ અને મહામના માલવીય જીને યાદ કરવાનો પણ છે.
આ કાર્યક્રમોમાં યુવાનો સ્પર્ધામાં પણ ભાગ લઈ રહ્યાં છે. તેમને સ્વતંત્રતાના ઘણા ન જાેયેલા પાસા ખબર પડશે. મોદીએ કહ્યું કે, શતાબ્દી સમારોહના કાર્યક્રમોને લોક કળા અને આર્ત્મનિભરતા સાથે જાેડવાના પ્રયાસ કરાયા છે. સામૂહિકતાની જે શક્તિએ ગુલામીને સાંકળને તોડી હતી, તે શક્તિ ભારતને દુનિયાની મોટી તાકાત પણ બનાવશે. આ શક્તિ આર્ત્મનિભરનો મૂળભૂત આધાર છે. આ દેશને ૧૩૦ કરોડ દેશ વાસીઓ માટે આર્ત્મનિભર બનાવી રહ્યાં છે. આજે કલ્પના કરો, જ્યારે કોરોનાકાળમાં આ દેશે દુનિયાના ૧૫૦થી વધુ દેશો માટે દવા મોકલી છે. ભારતે અનેક દેશોના નાગરિકોને ઘરે સુરક્ષિત મોકલ્યા છે. આજે ભારત પોતે કોરોનાની વેક્સિન બનાવી રહ્યો છે. દુનિયાના અન્ય દેશો કરતા ઝડપથી વેક્સિન લગાવી રહ્યો છે.

૧૯૨૨માં સ્વતંત્રતા આંદોલન સાથે જાેડાયેલા પ્રદર્શનકારીઓએ ચૌરી ચૌરામાં એક પોલીસ ચોકીમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં ૨૨ પોલીસકર્મી માર્યા ગયા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. આ ઘટનામાં જીવ ગુમાવનાર સત્યાગ્રહીઓને શહીદ માનવામાં આવ્યા હતા. ચૌરી ચૌરા કાંડના શતાબ્દી વર્ષ પર તેમના પરિવારજનોને સન્માનિત કરાશે. સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવશે. સાંજે દરેક શહીદ સ્થળ પર દીપ પ્રગટાવશે. શહીદોની યાદમાં સાંસ્કૃતક કાર્યક્રમ પણ યોજાશે. આ દરમિયાન એક સાથે ૩૦ હજારથી વધુ લોકો વંદે માતરમ ગાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. તમામે નક્કી સમયે વંદે માતરમ્‌ ગાતા વિડિયો અપલોડ કરવાનો રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/