fbpx
રાષ્ટ્રીય

મચ્છરોના ત્રાસથી છૂટકારો મેળવવા ઘરમાં લગાવો આ Plant, નહિં તો બીમારીને મળશે આમંત્રણ

ગરમીની શરૂઆત થતાની સાથે જ મચ્છરોનો આતંક પણ ખૂબ વધી ગયો છે. બદલાતા વાતાવરણમાં મચ્છરો ત્રાસથી લોકો કંટાળી જતા હોય છે. આ મચ્છરોને કારણે અનેક રોગો થવાના શરૂ થઇ જાય છે. આ માટે આ સિઝનમાં અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આમ, જો ઘરમાં નાના બાળકો હોય તો ઘરમાં મચ્છરોનો સ્પ્રે નાંખવો પણ મુસીબતનું કામ છે. પણ જો તમે આ છોડ તમારા ઘરમાં વાવો છો તો તમે સરળતાથી મચ્છરોમાંથી છૂટકારો મેળવી શકો છો.

લેવેન્ડરનો છોડ

જો તમે લેવેન્ડરનો છોડ ઘરમાં રોપો છો તો તમે મચ્છરોના ત્રાસથી બચી શકો છો. આ છોડની સુગંધ મચ્છરો દૂર રહે છે.

સૂર્યમુખીનો છોડ

સૂર્યમુખીના ફુલ જોતાની સાથે જ અનેક લોકોને ગમી જાય છે. આ ફુલ દેખાવામાં ખૂબ જ સુંદર હોય છે. આ ફુલ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે. આ ફુલની સુગંધથી મચ્છરો દૂર રહે છે અને સાથે તમારું ઘર સુગંધિત પણ રહે છે. આ માટે તમે સૂર્યમુખીનો છોડ તમારા ઘરના આંગણામાં અથવા મુખ્ય પ્રવેશ દ્રારની  પાસે રાખો.

સિટ્રોનેલા

સિટ્રોનેલા છોડની સુગંધ મચ્છરોને દૂર ભગાડવામાં મદદરૂપ બને છે. આ છોડને તમે એ જગ્યા પર લગાવો જ્યાં સીધો તડકો આવતો હોય. આ છોડને સૂર્યપ્રકાશની જરૂરિયાત વધારે હોય છે.

કટનીપ

કટનીપની દેખરેખ કરવી ખૂબ સરળ છે. આ છોડ તમે સરળતાથી ઘરે રોપી શકો છો કારણકે આ છોડની દેખભાળ બહુ કરવી પડતી નથી. સંશોધન અનુસાર આ છોડ મચ્છરો અને કીટનાશકોને દૂર રાખવા માટે DTIની તુલનામાં ખૂબ પ્રભાવિત માનવામાં આવે છે.

રોજમેરી

રોજમેરી એક એવી જડી બુટ્ટી છે જેની સુગંધથી મચ્છરો અને કીટનાશકો દૂર ભાગે છે. આ સાથે જ રોજમેરી છોડ ઘરની શોભા વધારે છે.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/