અમરેલીના યુવાનોએ નવી દિલ્હી ખાતે શરૂ થયેલ કૃષિ બિલના વિરોધના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. અને ખેડૂતોની માંગ વ્યાજબી હોવાનું જણાવીને ખેડૂતોને તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાત્રી આપી હતી. નવી દિલ્હી ખાતે શરૂ થયેલ આંદોલનના પડઘા હવે જિલ્લાના ખેડૂતો અને યુવાનો સુધી પહોંચી ગયા હોય જિલ્લામાં
અમરેલી જિલ્લામાં આજે પાછો પોઝિટિવ કેસમાં ઉછાળો આવ્યો આજે 22 પોઝિટિવ કેસ નોંધાયા સામે 17 કેસો ડિસ્ચાર્જ. સતત ત્રીજા દિવસે પણ પોઝિટિવ કેસમાં સારી રિકવરી આવી. આજે ફરી પોઝિટિવ કેસોમાં ઉછાળો આવ્યો આજે 22 પોઝટિવ કેસ નોંધાયા 17 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લામાં આજે અચાનક પોઝિટિવ કેસો માં ઉછાળો જોવા મળ્યો હતો. માસ્ક ફરજીયાત પહેરી પોતાનું અને […]
ભારતીય જનતા પાર્ટીના આગેવાન નેતા, રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ જી ના નિધન ના સમાચાર અત્યંત દુઃખદ… જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોનીઅભયભાઈની પવિત્ર આત્માને પ્રભુ શાંતિ અર્પે તેમજ ભારદ્વાજ પરિવાર ને પ્રભુ આવી પડેલી આ દુઃખદ ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.જાહેર સેવક,પ્રજાહિતનાં વકીલ,વિચારધારામાં મકક્મ, સમાજ ઉત્કર્ષ માટે સતત ચિંતન અને કાર્ય કરનાર
બિન ખેડૂત સરકાર દ્વારા ખેડૂત વિરોધી ત્રણ અધ્યાદેશો કોઇપણ માંગણીઓ વગર લાવવામાં આવેલ છે તેના વિરુદ્ધ દેશ વ્યાપી ચાલી રહેલ કિસાન આંદોલનને વાંચા આપી ખેડૂતોની માંગણીઓને સંતોષવા અને ખેડૂતોના હિતમાં કાયમી નીતિ બનવવા બાબત. દિલ્હી તરફ કુચ કરી રહેલ કિસાન આંદોલનને સમર્થન જાહેર કરી વિશેષ લખવાનું કે, કૃષિ પ્રધાન દેશ ઉપર બિન-ખેડૂત (ઉભડ) સત્તાધીશોના શાશનમાં કોઈ […]
સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ દ્વારા પેજ સમિતિ પર ભાર આપવામાં આવી રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલે ૨૦૨૨ની વિધાનસભામાં ૧૮૨માથી ૧૮૨ બેઠક જીતવાનો સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પને સાકર કરવા માઇક્રો મેનેજમેન્ટનાભાગરૂપે પેજ સમિતિ બનાવવામાં આવી રહી છે. અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પણ પેજ સમિતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ […]
અમરેલી ખાતે પીજીવીસીએલના નવા વીજ ફોલ્ટ સેન્ટર, જિલ્લા પંચાયત રોડ પર આવેલ કડીયા નાકા પાસે શરૂ કરવામાં આવેલ છે. આ નવા વીજ ફોલ્ટ સેન્ટરનું ઉદ્ઘાટન પીજીવીસીએલના નાયબ ઈજનેર એમ.એચ.કાલાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલના દરેક વીજ ગ્રાહકો એ ખાસ નોંધ લે કે હવે થી અમરેલી શહેરનું મુખ્ય ફોલ્ટ સેન્ટર આ સ્થળેથી કાર્યરત રહેશે. ફોલ્ટ […]
લક્ષ્મી ડાયમંડ મુંબઈના ડીરેકટર સરોજબેન અશોકભાઈ ગજેરાએ શાંતાબામેડિકલ કોલેજ એન્ડ સિવિલ જનરલહોસ્પિટલની મુલાકાત લઈને દરદીની વધારાના સુવિધાઅર્થે સિવિલમાં એમ્બ્યુલન્સ માટે બે એમ્બ્યુલન્સ માટે આશરે રૂ ૫ લાખના અનુદાનનીજાહેરાત કરી. અમરેલીમાં જિલ્લા ની આરોગ્યની સતત ચિંતા કરતા વસંતભાઈ ગજેરા દ્વારા આરંભાયેલા આરોગ્ય સેવાયજ્ઞમાં અમો બે એમ્બ્યુલન્સની સુવિધા આપીશું અશોક ગજેરા
સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિના લગ્ન થયેથી સમાજ સુરક્ષા કચેરી ખાતે જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહે છે. દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો દંપતીને રૂપિયા ૫૦ – ૫૦ હજાર મળી રૂ. ૧ (એક) લાખ અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો દિવ્યાંગ વ્યક્તિને ૫૦,૦૦૦/- રૂપિયાની સહાય મળવા […]
અમરેલી કુંકાવાવ રોડ ઉપર સોમનાથ મંદિરથી ઇંટોના ભઠ્ઠા તરફ જતો કુંકાવાવ તરફ જવાના માર્ગ ઉપર ઠેબી નદી ઉપર પુલ બનાવવાનું કામ શરૂ કરવાનું હોવાથી આ રસ્તા ઉપર પસાર થતા તમામ વાહનો તથા પગપાળા જનાર વ્યક્તિઓએ પસાર થવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ. બી. પાંડોરએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ અમરેલી કુંકાવાવ […]
પાણી-પુરવઠા વિભાગનાં ઉચ્ચ અધિકારીએ બીલ ચુકવવા ભલામણ કર્યાનો આક્ષેપ જો તટસ્થ તપાસ થશે તો અનેકનાં તપેલા ચડી જવાનાં તે નકકી જ છે જનતાનાં પરસેવાનાં પૈસા ઘરભેગા કરનાર સામે કાર્યવાહી થવી જરૂરી બની છેચાવંડ-સીમરણ વચ્ચે પાઈપલાઈનની કામગીરીમાં થયેલ કૌભાંડની તપાસની માંગ સાંસદ કાછડીયા અને ધારાસભ્ય ઠુંમરે કર્યા બાદ અકળ કારણોસર સમગ્ર પ્રકરણ ભીનું સંકેલાયાની ચર્ચાઓ અંગે […]
Recent Comments