સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ મામલાની સુનાવણી પૂર્ણ થતા અદાણીના શેર ૨૦% સુધી ઉછળ્યા
અદાણી ગ્રૂપના શેરોમાં મંગળવાર આજે ૨૮ નવેમ્બરના રોજ બીએસઈ પર શરૂઆતના વેપારમાં મજબૂત ઉછાળો જાેવા મળ્યો હતો. આ પાછળનું કારણ સુપ્રીમ કોર્ટએ અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસની માંગ કરતી અનેક અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી હતી અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ને જાણ કરી હતી કે અદાણી જૂથની તપાસ પૂર્ણ કરવા માટે તેને વધારાના સમયની જરૂર નથી.. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ૪ ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો પરંતુ અદાણી ટોટલ ગેસના શેરમાં લગભગ ૨૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
અદાણી ગ્રીન એનર્જીના શેરમાં લગભગ ૮ ટકાનો ઉછાળો આવ્યો હતો જ્યારે અદાણી પાવરનો શેર લગભગ ૭ ટકા વધીને ?૪૨૩.૧૫ની તેની ૫૨ સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. અદાણી વિલ્મરનો શેર લગભગ ૬ ટકા વધ્યો હતો, અદાણી પોર્ટ્સના શેરમાં ૩ ટકાથી વધુનો વધારો થયો હતો.. અદાણી ગ્રૂપની અન્ય કંપનીઓમાં દ્ગડ્ઢ્ફના શેરનો ભાવ ૫ ટકાથી વધુ, અંબુજા સિમેન્ટના શેરનો ભાવ ૩ ટકાથી વધુ અને છઝ્રઝ્રના શેરનો ભાવ ૨ ટકાથી વધુ વધ્યો હતો. એક મીડિયા રિપોર્ટ મુજબ સેબીએ શુક્રવારે સર્વોચ્ચ અદાલતને જાણ કરી હતી કે અદાણી ગ્રૂપમાં તેની તપાસ પૂર્ણ કરવા માટે તેને વધારાના સમયની જરૂર નથી, હિંડનબર્ગ મામલાને લગતા ૨૪માંથી ૨૨ કેસ પહેલેથી જ ઉકેલાઈ ગયા છે.
તપાસના બાકીના પાસાઓ વિદેશી નિયમનકારી સંસ્થાઓના ડેટા પર આધારિત છે.. મુખ્ય ન્યાયાધીશ ડી. ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની ત્રણ ન્યાયાધીશોની પેનલે અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસની માંગ કરતી અનેક અરજીઓ પર સુનાવણી પૂરી કરી છે અને સોમવાર સુધીમાં લેખિત રજૂઆતો કરવા જણાવ્યું છે. ૨૪ જાન્યુઆરીના રોજ યુએસ સ્થિત હિન્ડેનબર્ગ રિસર્ચે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં અદાણી જૂથ તેના શેરના ભાવને કૃત્રિમ રીતે વધારવા માટે કપટપૂર્ણ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. જૂથે વિગતવાર ખંડન સાથે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.. દરમિયાન અદાણી ગ્રૂપની ૧૦ લિસ્ટેડ કંપનીઓમાંથી ૭એ ઊ૨હ્લરૂ૨૪માં ચોખ્ખા નફામાં વૃદ્ધિ નોંધાવી હતી. અંબુજા સિમેન્ટ્સ, અદાણી ગ્રૂપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ ફ્લેગશિપ કંપની ગ્રૂપ કંપનીઓમાં ટોચના પર્ફોર્મર તરીકે ઉભરી આવી હતી તેણે તેના એકીકૃત ચોખ્ખા નફામાં ૧,૮૩૫ ટકાનો ઉછાળો હાંસલ કર્યો જે ?૫૧ના ચોખ્ખા નફાની સરખામણીમાં ?૯૮૭ કરોડ સુધી પહોંચ્યો હતો.
Recent Comments