કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-અમરેલી ખાતે ૧૫ દિવસીય સર્ટિફિકેટ કોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, અમરેલી ખાતે તા. ૦૪ ઓક્ટોબર,૨૦૨૩ના રોજ ૧૫ દિવસીય સર્ટિફિકેટ કોર્સ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઇઝર ડીલર્સ માટે ચોથી બેચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં અધિકારીઓ દ્વારા તાલીમાર્થીઓને સંકલિત પોષણ વ્યવસ્થાપન વિશે તથા કોર્સના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી અને ખેડૂતોને ખાતરો વિશે યોગ્ય માર્ગદર્શન મળે તેવો અનુરોધ ઈનપુટ ડિલરોને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી તથા કોર્સ ડાયરેક્ટર ડો. એન.બી. જાદવ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ. સી. છોડવડિયા, કોલેજ ઓફ એગ્રિકલચર, મોટા ભંડારીયાના આચાર્યશ્રી ડો. એ. એસ. દુધાત, સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. વી. એન. ગોહિલ, સહ પ્રાધ્યાપક ડૉ. જે. જે. વાઘાણી તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. પી. જે. પ્રજાપતિ તથા કેવીકેનો સર્વ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Recent Comments