fbpx
અમરેલી

અમરેલી તાલુકાની વિવિધ શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કેન્દ્ર સંચાલક-રસોઇયા-મદદનીશની આવશ્યકતા

અમરેલી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કેન્દ્ર સંચાલક-રસોઇયા-મદદનીશની જગ્યાઓ માટે ઉમેદવારોની આવશ્યકતા છે. જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખે ઓછામાં ઓછા ૨૦ વર્ષ પૂર્ણ કર્યા હોય અને વધુમાં વધુ ૬૦ વર્ષની વય મર્યાદામાં ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ કર્યુ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.  અમરેલી તાલુકાની પ્રાથમિક શાળા (મધ્યાહન ભોજન (મ.ભ.યો.) કેન્દ્ર)-માલવણ, રીકડીયા, દેવળીયા, ખીજડીયા, રંગપુર ખાતે મ.ભ.યો. કેન્દ્ર સંચાલકની આવશ્યકતા છે. પ્રાથમિક શાળા(મધ્યાહન ભોજન કેન્દ્ર)-માલવણ, નાના ગોખરવાળા,  રામનગર-વરસડા, ચિત્તલ કુમાર શાળા, સાંગાડેરી, પ્રતાપપરા, લાલાવદર ખાતે રસોઇયાની આવશ્યકતા છે.

પ્રાથમિક શાળા (મધ્યાહન ભોજન કેન્દ્ર)- અમરેલી સ્થિત કે.કે. પારેખ પ્રાથમિક શાળા, રોકડીયા પ્રાથમિક શાળા,  પ્રતાપપરા પ્રાથમિક શાળા ખાતે મદદનીશની આવશ્યકતા છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજીપત્રક અમરેલી તાલુકા મામલતદાર કચેરી ખાતેથી કચેરી સમય દરમિયાન મેળવી લેવાનું રહેશે. આ અરજીપત્રકમાં જરુરી વિગતો ભરીને તા.૨૪ જૂન, ૨૦૨૪ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યા સુધીમાં મધ્યાહન ભોજન શાખા, અમરેલી તાલુકા મામલતદાર કચેરી ખાતે જમા કરાવવું. આ અંગેની વધુ વિગતો માટે અમરેલી તાલુકા મામલતદાર કચેરી (મધ્યાહન ભોજન શાખા) નો સંપર્ક કરવો. આ જગ્યાઓ માટે પસંદ થનારા ઉમેદવારોને માનદ વેતન મળવાપાત્ર થશે, તેમ અમરેલી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/